માતાને પૃથ્વી, પર્વત, નદીઓ, જંગલો, પશુઓ, સમુદ્ર ને ઉપર તારામંડળથી ઊભરાતું આકાશ વગેરે દેખાવા લાગ્યું ! ચલચિત્રની જેમ સૂર્ય, ચંદ્ર ને ગ્રહો પણ દેખાયા ! એટલું જ નહિ પણ દેવતાઓ, દૈત્યો, ઋષિમુનિઓ તેમજ સમગ્ર માનવ સૃષ્ટિય દેખાણી ! વળી પોતે પોતાને પણ એમાં જોયાં આથી તો માતા ખરેખર દંગ બની ગયા ! એમને ન સમજાયું કે ઘનશ્યામના નાના મુખમાં આ બધું કેમ સમાયું હશે !
બાળ કનૈયાએ યશોદાજીને પોતાના મુખમા દેખાડેલ વિશ્વરૂપનો પ્રસંગ સાંભરી આવ્યો ને પોતે મનમાં ભારે ધન્યતા અનુભવી.